આરતી | february 2015 | અક્રમ એક્સપ્રેસ
DESCRIPTION
"બાળમિત્રો, આપણે નાનપણથી જ આપણા ઘરે અથવા તો મંદિરમાં રોજ આરતી થતી જોતા હોઈએ છીએ. બધા કેટલા ભાવથી ભગવાનની આરતી ઉતારતા હોય છે ! પણ ક્યારેક વિચાર થાય કે રોજ ભગવાનની આરતી કરવાથી શું ફાયદો થતો હશે ? શું સાચે જ એનો કોઈ લાભ છે કે પછી આદત કે પ્રથા પડી ગઈ હોવાથી લોકો આરતી કર્યા કરે છે ? આપણા બીઝી શેડ્યુલમાંથી રોજ આરતી માટે ટાઈમ કાઢવો કેટલો જરૂરી છે ? તો આવો જોઈએ, પરમ પૂજ્ય દાદાશ્રી આરતી માટે શું કહે છે? મને ખાતરી છે કે આ અંક વાંચ્યા પછી તમે પણ ચોક્કસ રોજ આરતી કરતા થઈ જશો અથવા તો આરતી રોજ કરવી જોઈએ એવા ભાવ કરતા તો થઈ જ જશો. - ડિમ્પલ મહેતા "TRANSCRIPT